જૂનાગઢ પોલીસ દ્વારા માર્ગ ઉપર દરેકને માસ્ક, સેનિટાઇઝર, હેન્ડવોશની કીટ અપાઈ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામાં મુજબ કાર્યવાહી ચાલુ હોય, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા પ્રજાની મદદ કરવાની સાથે સાથે નિવૃત થયેલ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની પણ તેઓને લોકડાઉન દરમ્યાન કોઈ કામકાજ સબબ જરૂરિયાત સમયે મદદ કરવા તમામ પોલીસ અધિકારીઓને સૂચનાઓ કરવામાં આવેલ છે. હાલમાં લોકડાઉન તા.૦૩.૦૫.૨૦૨૦ સુધી વધારવામાં આવેલ હોય, જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા નિવૃત પોલીસ અધિકારીઓ તથા નિવૃત થયેલા સ્ટાફના માણસોને હાલમાં કોરોના વાયરસ અનુસંધાને લોકડાઉન પરિસ્થિતીના સમયગાળા દરમ્યાન આપને મેડિકલ, આવશ્યક ચીજવસ્તુ, ઇમરજન્સી સેવા માટે જરૂરિયાત હોય તો, જૂનાગઢ પોલીસ આપની સેવામાં હાજર છે અને મેડિકલ, આવશ્યક ચીજવસ્તુ, ઇમરજન્સી સેવા માટે જરૂરિયાત હોય તો, જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમ અથવા અમારા મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૦૫૨૫૦ કે ડીવાયએસપી જૂનાગઢ ૯૯૭૮૪ ૦૭૮૯૮ ઉપર સંપર્ક કરવા બાબતનો મેસેજ કરીને જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા સહિતની ટીમ દ્વારા એ.બી.સી. મેડીકલનાં માલિક રાજુભાઇ પટેલના સહયોગથી પેટ્રોલિંગ દરમ્યાન નિવૃત પોલીસ અધિકારીઓ(૧) અર્જુનસિંહ રાઠોડ, નિવૃત ડીવાયએસપી (હાલ ચાપરડા આશ્રમ), (૨) બી.જી.લીંબાસિયા, નિવૃત ડીવાયએસપી, (૩) એલ.એન.જેઠવા, નિવૃત ડીવાયએસપી તેમજ નિવૃત એ.એસ.આઈ. શંભુભાઈ પરમાર, નિવૃત એ.એસ.આઈ. વજુભાઇ દવે સહિતનાને પેટ્રોલિંગ બંદોબસ્ત દરમ્યાન રસ્તામાં મળી જાય ત્યાં, દરેકને માસ્ક, સેનેટાઇઝર, હેન્ડવોશ, સહિતની કીટ આપવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા કપરા સંજોગોમાં મદદ કરવામાં આવતા, નિવૃત પોલીસ અધિકારીઓ દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા ભવિષ્યમાં લોકડાઉન દરમ્યાન મેડિકલ, આવશ્યક ચીજવસ્તુ, ઇમરજન્સી સેવા માટે જરૂરિયાત હોય તો, પણ સંપર્ક કરવા જણાવવામાં આવેલ હતું. નિવૃત પોલીસ અધિકારીઓ જૂનાગઢ પોલીસની આવી સેવા અનુભવીને ભાવ વિભોર થયા હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા નિવૃત પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓના પરિવારને કપરા સંજોગોમાં પોતાનો પરિવાર સમજી પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવનાના કારણે , સુરક્ષા સાથે સેવા તથા કુટુંબ ભાવનાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.

error: Content is protected !!