જૂનાગઢ : સિંહોને મારણ ઉપરથી હટાવી પજવણી કરનાર આરોપી જામીન ઉપર મુક્ત

0

જૂનાગઢ વન વિભાગ હેઠળની ડુંગર ઉત્તર રેન્જનાં રણશીવાવ રાઉન્ડનાં ગિરનાર ઇકો-સેન્સટીવ ઝોનમાં આવતા ભલગામ રેવન્યુ વિસ્તારમાં ગત તા.૨૫/૦૪/૨૦૨૦ ના રોજ બે ટ્રેક્ટર દ્વારા સિંહો જયારે મારણ ઉપર હતાં. ત્યારે અજાણ્યા શખ્સોએ સિંહો પાછળ ટ્રેક્ટર દોડાવી અને પથ્થરમારો કરી સિંહોને મારણ ઉપરથી હટાવી અને સિંહોની પજવણી કરતો વિડીયો વાયરલ થતાં આર.એફ.ઓ. ભગીરથસિંહ ઝાલાએ તપાસ હાથ ધરતાં ઇન્ચાર્જ ફોરેસ્ટર દિપક વાઢેર અને બિટગાર્ડ એચ.પી.જીડીયાએ નવાગામનાં રહેવાસી વિશાલ ગોરધનભાઇ નાડોદાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીને જામીન ઉપર મુક્ત કરેલ છે. આ ગુન્હામાં સંડોવાયેલ બીજા આરોપી રાજુ જેબલિયાને પકડવાં માટે વન વિભાગે ચક્રો ગતિમાન કર્યા છે.

error: Content is protected !!