કોરોના વચ્ચે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ ૧૯૨૫૦ વિઘા જમીનમાં આગોતરી મગફળીનું કર્યું વાવેતર

0

સુકો મેવો બદામ ખરીદવી મોંઘી પડે છે. પરંતુ આપણી કાઠીયાવાડી બદામ તો મગફળી છે. કાઠીયાવાડી બદામથી સૌરાષ્ટ્રનું કોઈ ઘર ખાલી ન હોય, એમાંય જો નાના બાળકો મગફળીના દાણા અને ગોળનો ઉપયોગ નાસ્તામાં કરેતો કુ-પોષણ ગાયબ થઈ જાય એટલી તાકાત ગોળ અને માંડવીમાં છે. ચારે બાજુ સમાચાર જ્યારે કોરોનાના કહેરના આવી રહયા છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના પાણીદાર ખેડૂતો સૌથી મોટા સમાચાર આપવા જઈ રહ્યા છે. હા આપણાં માટે આ ખુશીના સમાચાર એટલે આગોતરી વાવણી. વૈશાખી વાયરા અને ચૈત્રી દનૈયા તપ્યા બાદ પીયતની સુવિધા છે તેવા ખેડૂતો હોંશે હોંશે આગોતરી મગફળીનું વાવેતર કરે છે. તેમ નાની ધણેજના ખેડૂત સોનીંગભાઈ જુંજીયા જણાવ્યુ હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી દિપક રાઠોડના જણાવ્યા અનુસાર જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૦૮૦ હેક્ટર અર્થાત ૧૯૨૫૦ વિઘા જમીનમાં આગોતરી મગફળીનું વાવેતર થયું છે. આગોતરૂ વાવેતર થતાં વિઘા દીઠ મગફળીનું ઉત્પાદન વધુ થાય છે. તેમજ મગફળીની ગુણવત્તા પણ સારી થાય છે. તાલુકાવાર આગોતરી મગફળી વાવેતરમાં આંકડા જોઈએ તો જૂનાગઢ તાલુકો ૨૫૦ હેક્ટર, માંગરોળ ૪૫૦, કેશોદ ૨૦૦, માણાવદર ૨૦, વંથલી ૧૩૫૦ હેક્ટર, માળીયા ૧૦, મેંદરડા ૫૦ હેક્ટર અને વિસાવદર તાલુકામાં ૭૫૦ હેકટરમાં આગોતરૂ વાવેતર થયું છે. આગોતરા વાવેતરમાં મગફળીનું ઉત્પાદન ગુણવત્તા સારી આવવા સાથે ખેડૂતો આ મગફળી કાઢી શીયાળું પાક જેમાં ડુંગળી, શાકભાજી, ઘાસચારાનું પણ આગોતરૂ વાવેતર કરી શકે છે. ઉપરાંત તેમનું ખેત ઉત્પાદન બજારમાં વહેલું આવવાથી ભાવો પણ સારા મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!