ગીર સોમનાથ જીલ્લામાં વધુ ૬ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કર્યો

0

ગીર સોમનાથ જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૪૫ જેટલા પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા છે. જે પૈકી ૩૬ દર્દીઓ અગાઉ સ્વસ્થ થઇ ગયેલ જયારે ૯ સારવાર હેઠળ હતા. જે પૈકીના તાલાલા, ઉના, ગીરગઢડા તાલુકાના ૨-૨ મળી કુલ ૬ દર્દીઓએ ગઈકાલે કોરોનાને મહાત આપતા તમામને રજા આપવામાં આવી હતી. ગઈકાલે સ્વસ્થ થયેલા દર્દીઓમાં ઉનાના વાસોજના અરવીંદ બાબુ ઝાલા (ઉ.વ.૪૦), અંજારના ભાવના અરશી પરમાર (ઉ.વ.૪૫), ગીરગઢડાના જુડવડલીના ભુપત વીરજી માલવીયા (ઉ.વ.૫૫), ફાટસરના સુનીલ કાળા પરમાર (ઉ.વ.૨૦), તાલાળાના હડમતિયાના વૈભવ જમનભાઇ ભંડેરી (ઉ.વ.૨૨), પ્રજ્ઞાબેન વૈભવભાઇ ભંડેરી (ઉ.વ.૨૪)ને સોમનાથ ખાતેના કોવીડ સેન્ટરર ખાતેથી આરોગ્ય વિભાગના સ્ટાફે સ્વસ્થ હોવાથી રજા આપી હતી.
અત્રે નોંધનીય છે કે, ગીર સોમનાથ જીલ્લામાં આવેલા કોરોના પોઝીટીવના કુલ ૪૫ દર્દીઓ પૈકી ૪૨ સ્વસ્થ થઇ ઘરે જતા રહયા છે અને હવે માત્ર ૩ દર્દીઓ જ સારવાર હેઠળ છે. ત્યારે આગામી ગણતરીના દિવસોમાં જ સોમનાથ ભૂમિનો જીલ્લો ફરી કોરોના મુકત બની જશે તેવી આશા જાગી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!