જૂનાગઢમાં પરિણીતાને શારિરીક-માનસિક દુઃખ ત્રાસ આપતાં ફરીયાદ

0

જૂનાગઢનાં કડીયાવાડ નજીક રહેતાં કાજલબેન પંકજભાઈ મકવાણાએ પોલીસમાં આ કામનાં આરોપી પંકજભાઈ ભીખાભાઈ મકવાણા પતિ, જાસનાબેન ભીખાભાઈ મકવાણા સાસુ, આરતીબેન ભીખાભાઈ મકવાણા નણંદ, લાલજીભાઈ ભરાડીયા ફુવા, સોમીબેન લાલજીભાઈ ભરાડીયા ફઈ, મકવાણા જેઠાભાઈ મોટાસસરા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં ફરીયાદી બેનને તમામ આરોપીઓએ તેના લગ્નજીવન દરમ્યાન ઘરકામ બાબતે તથા કરીયાવર બાબતે મેણા ટોણા બોલી તથા ફરીયાદીબેનના પતિને ખોટી ચઢામણી કરતા શંકાકુશંકા કરી તેમજ ફરીયાદીને તેના પિતા પાસેથી રૂ.ર૦ હજાર તથા રૂ.પ૦ હજારની માંગણી કરી શારિરીક-માનસિક દુઃખ ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!