જૂનાગઢ : અપમૃત્યુનાં ૩ બનાવો

0

જૂનાગઢ પંથકમાં અપમૃત્યુનાં ૩ બનાવો પોલીસ દફતરે નોંધાયા છે આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વિસાવદર તાલુકાનાં રામપરા ગામનાં હંસાબેન ગીરધરભાઈ વઘાસીયા (ઉ.વ.પપ) નામની મહિલાએ માનસિક બિમારીનાં કારણે પોતાનાં મેળે શરીરે કેરોસીન છાંટીને અગ્નસ્નાન કરતાં દાઝી જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે દાખલ કરવામાં આવેલ જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થયું છે. જયારે ૪૦ વર્ષનાં એક અજાણ્યા પુરૂષનું કોઈપણ બીમારી સબબ મૃત્યું થયાનું સિવિલ હોસ્પિટલનાં તબીબે જાહેર કરેલ છે. આ ઉપરાંત ભેંસાણ ચોકડી નજીક રહેતાં મુળ આગ્રા જીલ્લાનાં રતનપુરા ગામનાં જગદીશભાઈ રાધેશ્યામભાઈ તોમર (જાતે.ઠાકોર, ઉ.વ.૪૦)એ ભેંસાણ પોલીસમાં એવી જાહેરાત કરી છે કે બબલુ ચૌહાણને ગઈકાલે રાત્રીનાં કોઈપણ કારણસર ઉલ્ટીઓ થતાં અને શરીરમાં તકલીફ ઉભી થતાં તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!