મુંબઈનાં ઉદ્યોગપતિ મૂળ સૌરાષ્ટ્રનાં વતની ઇબ્રાહીમભાઇ પટેલ (પાયાવાળા) જન્નતનશીન, ઘેરો શોક

0

મુંબઈનાં અગ્રણી ઉદ્યોગપતિ અને બંદર વિકાસ અને લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગના પાયાના પથ્થર એવા મૂળ સૌરાષ્ટ્રના અને મુંબઈના માહિમમાં વસેલા અગ્રણી ઉદ્યોગપતિ ઇબ્રાહીમભાઇ પટેલ(પાયાવાલા) તારીખ ૧૧ જુન ૨૦૨૦ ગુરૂવારે ૮૨ વર્ષની વયે મુંબઈના માહિમ ખાતે જન્નત નસીન થતાં મુંબઈ અને સૌરાષ્ટ્રના ઇબ્રાહિમભાઈ પટેલનાં પરિચિતોમાં ઘેરો શોક છવાયો હતો. ઇબ્રાહિમભાઈ પટેલ ઉર્ફે પાયાવાળાએ ૧૯૯૧ સુધી મુંબઈ ઘાંચી સમાજનાં પ્રમુખ તરીકેની સેવા આપી હતી. તેમના ફરજંદો અશરફભાઈ પાયાવાળા દુબઈ, એજાજભાઈ પાયાવાળા, અસ્લમભાઇ પાયાવાળા, યામીનભાઈ પાયાવાળા, બબલુભાઈ (મહંમદ ભાઈશ્રી) અને બંને બહેનોને વતન સૌરાષ્ટ્રમાંથી તમામ સ્નેહીઓ, પરિચિતો, હિંદુ-મુસ્લિમ સંબંધીઓએ ટેલિફોનિક દિલસોજી પાઠવી હતી. સામાજિક સેવા અને કોઈપણને નાત, જાત, ધર્મ ભેદભાવ વિના મદદરૂપ થવા માટે ઇબ્રાહીમભાઇ પટેલ ખૂબ જ કીર્તિમાન થયા હતા. તેમની અચાનક વિદાયથી અનેક જરૂરિયાતમંદ, પરિચિતો, સંબંધીઓએ પોતાનો અંગત સ્વજન ગુમાવ્યાનો આંચકો અનુભવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!