જીવદયા પ્રવૃત્તિ કરનાર જૂનાગઢ એસ.ટી.ના કર્મચારીઓની સેવાને બિરદાવાઈ

0

જૂનાગઢ એસ.ટી. વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની જીવદયા, સેવાકીય પ્રવૃત્તિને બિરદાવાઈ હતી. જૂનાગઢ એસ.ટી. વિભાગમાં ફરજ બજાવતા પ્રવિણભાઈ ચૌહાણ અને મેરૂભાઈ ઓડેદરા પક્ષીઓની સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય ટીડીઓ આર. ડી. પીલવાકરે બિરદાવી તેમની આ પ્રવૃત્તિમાં સહયોગ આપવા જણાવ્યું હતું. બંને કર્મચારીઓ દ્વારા આર.ડી. પીલવાકરને ચકલીના માળા અને પક્ષીઓ માટે બનાવાયેલ નવા પ્રકારનું ચણ અર્પણ કર્યું હતું. આ તકે બંને કર્મચારીઓ દ્વારા જીવદયાની પ્રવૃત્તિ હંમેશાં ચાલુ રાખવાની નેમ વ્યકત કરાઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!