કોરોનાને કારણે મૃત્યું પામેલા પોલીસમેનને જૂનાગઢમાં શ્રધ્ધાંજલી અપાઈ

0

ગુજરાત રાજ્યના સુરત શહેર પોલીસ દળમાં મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ.એસ.આઈ. મગનભાઈ રણછોડભાઈ બારીયાનું કોવિડ ૧૯ સંક્રમણના કારણે તા. ૧૪-૬-૨૦નાં રોજ સારવાર દરમ્યાન દુઃખદ અવસાન થયેલ હતું. જેથી સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના આત્માની શાંતિ મળે તે હેતુસર ગુજરાત રાજ્યના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ, તેઓ જે સ્થળે હોય, તે સ્થળે બે મિનિટ મૌન પાળવાના ભાગરૂપે આજરોજ જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, રિડર પીએસઆઇ આર.કે. સાનયા સહિતના અધિકારીઓ તથા ડિવિઝનના તમામ સ્ટાફ તેમજ ટ્રાફિક શાખાના સ્ટાફ તથા બ્રીગેડ જવાનો સાથે બે મિનિટ મૌન પાડી, સદગતના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ દેશમાં કોવિડ ૧૯ કોરોના વાયરસનું સંક્રમણ અટકે તે માટે પણ ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવેલ હતી. ઉપરાંત, તમામ અધિકારીઓ તથા સ્ટાફને પોતાની ફરજ દરમ્યાન પૂરતી તકેદારી રાખવા પણ જાણ કરવામાં આવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!