સુર્યગ્રહણ : આગામી રવિવારે સૌથી વધારે લાંબો દિવસ : વિજ્ઞાન જાથા

0

સુર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતનાં લોકોએ માર્ચની તા.ર૧મીએ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો. હવે રવિવાર તા.ર૧ મી જુન લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે. આ ખગોળીય ઘટનાનો લાભ લેવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે સુર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટુંકી થતી જાય છે. તેના કારણે તા.ર૧ મી જુને લાંબામાં લાંબો એટલે કે રાજકોટમાં દિવસ ૧૩ કલાક ર૮ મિનિટ, રાત્રિ ૧૦ કલાક ૩ર મિનિટ, અમદાવાદમાં દિવસ ૧૩ કલાક ૩૦ મિનિટ, રાત્રી ૧૦ કલાક ૩૦ મિનિટ, સુરતમાં દિવસ ૧૩ કલાક રર મિનિટ, રાત્રી ૧૦ કલાક ૩૮ મિનિટ, થરાદમાં દિવસ ૧૩ કલાક ૩૧ મિનિટ, રાત્રી ૧૧ કલાક ર૯ મિનિટ, મુંબઈમાં દિવસ ૧૩ કલાક ૧૩ મિનિટ, રાત્રી ૧૦ કલાક ૪૭ મિનિટ સમયગાળામાં રહેશે. તા.રરમી જુનથી ક્રમિક રીતે દિવસ સેકન્ડનાં તફાવતે પ્રમાણે ક્રમશઃ ટૂંકો અને રાત્રી લાંબી થતી જોવા મળશે. ભારતમાં સુર્યોદય-સૂર્યાસ્ત પ્રમાણે વિવિધ સ્થળોએ સેકન્ડ મિનિટનાં તફાવતથી ફેરફાર દિવસ-રાત્રી જોવા મળશે.

error: Content is protected !!