ખંભાળિયાના અગ્રણી મિલરે પોતાની ગન વડે જિંદગી ટૂંકાવી

0

ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં મહાદેવના મંદિર પાસે રહેતા અને આશ્રય ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામની ઓઈલ મીલ ધરાવતા મુળ કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના રામભાઈ સવદાસભાઈ આંબલીયા નામના ૬૫ વર્ષના આહિર વૃધ્ધના ધર્મપત્ની આજથી આશરે પાંચેક વર્ષ પૂર્વે અવસાન પામ્યા હતા. ત્યારથી તેઓ તેમનો મોટા ભાગનો સમય અશોક ઉદ્યોગનગર ખાતે આવેલી તેમની ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગાળતા હતા. ખંભાળિયાના આહિર અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ તથા રામભાઈ આશ્રય મિલવાળા તરીકે ઓળખાતા રામભાઈ આંબલીયા છેલ્લા કેટલાક સમયથી ડાયાબિટીસ તથા હાઈ બીપીની બીમારી વચ્ચે ઓછી સ્મરણશક્તિ અને માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ દરમ્યાન ગઈકાલે તેમના પરિવારમાં એક પુત્રીના લગ્ન હોવાથી તેમના પરિવારજનો આ લગ્નમાં ગયા હતા. જ્યારે રામભાઈ તથા તેમનો પુત્ર મનીષ અને મનિષભાઈનો ભાણેજ મિલન મેરામણભાઈ છૂછર સવારે આશ્રય મિલ ખાતે હતા. બપોરના આશરે એકાદ વાગ્યાના સમયે મિલન અહીંની એક હોટલમાંથી ત્રણેય વ્યક્તિઓ માટે ભોજનનું ટિફિન લઈને આવ્યો હતો. દરમ્યાન રામભાઈ પોતાને અસ્વસ્થ લકગતા ઓઈલ મિલમાં જ આવેલા અને બીજા માળ ખાતે તેઓ ગયા હતા. જ્યાં બપોરના આશરે એકાદ વાગ્યે નીચે રહેલા મનીષ તથા મિલનને ફટાકડા ફૂટવા જેવો અવાજ આવતા આ બંન્ને અગાસી પાસે દોડી ગયા હતા. જ્યાં રામભાઈનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ સાંપડ્‌યો હતો. આ સમગ્ર બનાવે શહેરભરમાં ભારે ચકચાર સાથે આહિર સમાજમાં અરેરાટી પ્રસરાવી છે. આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!