જૂનાગઢ : ગિરનાર દરવાજા નજીક વાછરડીને હડફેટે લઈ મોત નિપજાવતાં ફરીયાદ

0

જૂનાગઢમાં ગિરનાર દરવાજા નજીક માહી દુધનાં વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી વાછરડીને હડફેટે લઈ તેનું મોત નિપજાવતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢનાં ગિરનાર દરવાજા નજીક રહેતાં અરવિંદભાઈ વજસીભાઈ સોલંકીએ પોલીસમાં આ કામનાં આરોપી માહી દુધના વાહન નં.જીજે ૦૩ યુ ૯૬૩૬નાં ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી માહી દુધનાં વાહન ચાલકે ગીરનાર દરવાજા નજીક પોતાનું વાહન બેફીકરાઈથી અને ગફલતભરી રીતે ચલાવી બીનવારસુ વાછરડીને હડફેટે લઈ તેનું મોત નિપજાવતાં પોલીસે આ બનાવ અંગે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!