મેંદરડા, આણંદપુર અને જૂનાગઢ ખાતે અપમૃત્યુંનાં બનાવો

0

મેંદરડાનાં વડલી ચોક ખાતે રહેતાં કાંતીલાલ દેવરાજભાઈ જેઠવાએ પોલીસમાં જાહેરાત કરતાં જણાવેલ છે કે આ કામના સંજયભાઈ નરસીંહભાઈ ડાભીને લીવરની બીમારી હોય આ બીમારીનાં કારણે તેમનું મૃત્યુ થયું છે. તેમજ અન્ય એક બનાવમાં આણંદપુર ખાતે રહેતાં સુનિતાબેન મંગાભાઈ બગડાએ કોઈપણ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાંફાસો ખાઈ લેતા તેમનું પણ મૃત્યુ નિપજ્યું હતું. આ ઉપરાંત અન્ય એક બનાવમાં ભવનાથમાં અવધુત આશ્રમની બાજુમાં પાણીના ટાંકા પાસે કોઈ અગમય કારણોસર આશરે ૩પ થી ૪૦ વર્ષનાં અજાણ્યો શખ્સ મૃત્યુ પામ્યો હોય આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!