જૂનાગઢ : મોરારિબાપુ ઉપર હુમલા સામે વૈષ્ણવ સાધુ સમાજ લાલઘૂમ, જિલ્લા કલેકટરને આવેદન અપાયું

0


દ્વારકામાં પૂ. મોરીરિબાપુ ઉપર થયેલા હુમલાના પ્રયાસનાં ઘેરા પ્રત્યાઘાત પડેલ છે. આ બાબતે લાલઘૂમ બનેલા વૈષ્ણવ સાધુ બાવા વૈરાગી સમાજે જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું છે. આવેદન પત્રમાં જણાવાયું છે કે, મોરરિબાપુએ કરેલી ટીપ્પણીથી કોઈ સમાજની લાગણી દુભાઈ હોય તો તેમણે માફી માગી છે. છત્તાંપણ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે પૂ. મોરારિબાપુ ઉપર હુમલાનો પ્રયાસ કરતાં તેને વૈષ્ણવ સાધુ બાવા વૈરાગી સમાજ સખ્ત શખ્દોમાં વખોડી કાઢે છે અને આ કૃત્ય કરનાર સામે સરકાર કડક પગલા લે તેવી માંગણી કરાઈ છે. સરકાર જા કડક પગલાં નહીં લે તો બાદમાં જે પરિસ્થિતિ ઉપસ્થિત થશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેમ પ્રમુખ મહંત મહા મંડલેશ્વર જગજીવનદાસજી બાપુએ જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!