કેશોદનાં બામણાસા(ઘેડ) અને આજુ બાજુના ઘેડ પંથકમાં થયેલી હોનારતને આજે ૩૭ વર્ષ પૂર્ણ થયા

0

વંથલી – શાપુરની જળહોનારતને આજે ૩૫ વર્ષ પૂર્ણ થઇ રહયાં હોય આજે પણ કેશોદનાં બામણાસા સહિતના ઘેડ પંથકમાં આ ભયાનક યાદ લોકોને કંપાવી જાય છે. ૭૦ ઇંચ જેટલો વરસાદ પડતાં ગાંડીતુર બનેલી નદીઓનાં પાણી આ બંને શહેર અને આસપાસનાં વિસ્તારમાં ફરી વળતા ભારે તારાજી સર્જાઈ હતી. ૨૨ જૂન, ૧૯૮૩માં ૭૦ ઇંચ વરસાદ પડતાં વંથલી, શાપુર બેટમાં ફેરવાયું હતું અને આ જળ હોનારતમાં ૧૨૦૦ લોકોનાં મોત થયા હતાં. વંથલી, શાપુર પંથકમાં ૨૨ જૂન ૧૯૮૩નો દિવસ ભયાનક રહયો હતો. આ દિવસે ૭૦ ઇંચ જેટલો વરસાદ પડતાં ઓઝત, ઉબેણ, મધુવંતી નદીઓમાં ભારે પૂર આવતા ગાંડીતુર બની હતી અને આ ભયાનક જળ હોનારતથી વંથલી, શાપુર સહિતનાં આસપાસનાં વિસ્તારો અને ઘેડ પંથક ૪૮ કલાક સુધી પાણીમાં ગરકાવ થયા હતાં. લોકોએ બે દિવસ સુધી મકાનનાં નળીયા, છાપરા, વૃક્ષો ઉપર રાત વિતાવી હતી. રેલ્વે લાઇન સંપુર્ણ ધોવાઇ ગઇ હતી, એક પણ વીજપોલ બચ્યો ન હતો, ટેલીફોન વ્યવહાર ખોરવાઇ ગયો હતો, રસ્તાઓ સાવ તુટી ગયા હતાં, અનેક લોકો અને પશુઓ મોતને ભેટયા હતા. સેવાભાવી યુવાનોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી પૂરમાં ફસાયેલા લોકોને દોરડા વડે બહાર કાઢી સલામત સ્થળે પહોંચ્યાડયા હતાં. આ હોનારતની જાણ કરવા બે તરવૈયા યુવાનોને ચીઠ્ઠી લઇને જૂનાગઢ મોકલવામાં આવ્યા બાદ તંત્ર મદદ માટે દોડતું થયું હતું એમ શાપુરનાં આગેવાન વાલજીભાઇ ફળદુએ જણાવ્યું હતું. આ ભયાનક જળપ્રકોપનાં ચોથા દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ આવી પહોંચી, તારાજી અને લોકોની સ્થિતિ જોઇ હચમચી ઉઠયા હતાં. તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, અનેક નેતાઓ, સેવાભાવી સંસ્થાઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આજે પણ વડિલો તે ક્ષણને યાદ કરતા ધ્રુજી ઉઠે છે. વર્ષો પહેલાં બનેલ દુઃખદ ઘટના બાબતના લખાણ અને ફોટા આજે પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!