જૂનાગઢમાં મોરારીબાપુના સમર્થનમાં સાધુ સંતો અને સર્વપક્ષીય આગેવાનોની બેઠક : હુમલાના બનાવને વખોડી કાઢી આજે અપાયું આવેદનપત્ર

0

જૂનાગઢમાં મોરારીબાપુનાં સમર્થનમાં સાધુ-સંતો અને સર્વપક્ષીય આગેવાનોની એક મિટીંગ યોજાઈ હતી અને તેઓ ઉપર થયેલાં હુમલાનાં બનાવને વખોડી કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત આજરોજ સરકારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવી રહેલ છે. જૂનાગઢ મહાનગરમાં કથાકાર મોરારીબાપુના સમર્થનમાં સાધુ-સંતો અને સર્વ પક્ષીય આગેવાનોની એક બેઠક મળી હતી જેમાં મોરારીબાપુ ઉપરનાં હુમલાના પ્રયાસને સખ્ત શબ્દોમાં વખોડી કઢાયો હતો અને સરકારને આવેદન પાઠવી જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી. આ બેઠકમાં મહામંડલેશ્વર ભારતીબાપુ ,ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ, સૂર્યમંદિરના મહંત મહામંડલેશ્વર જગજીવનદાસ બાપુ, માતાજી સેલજાદેવી સહિતના સંતો સાથે શહેરના આગેવાનો, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, મેયર ધીરૂભાઈ ગોહેલ, દાદુભાઇ કનારા, ગિરીશભાઈ કોટેચા, શશીભાઈ ભીમાણી વગેરે હાજર રહ્યા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!