માંગરોળ : ત્રીપાંખ સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું

0

દ્વારકામાં પરમ પૂજ્ય મોરારીબાપુ સાથે સાંસદ પૂનમબેન માડમ તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં દ્વારકાનાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ધસી આવી અશોભનીય વાણી વર્તન કરી હુમલાનો પ્રયાસ કર્યો હતો તેને માંગરોળ ત્રીપાંખ સાધુ સમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને રાજ્ય સરકાર પાસે માંગણી કરવામાં આવે છે કે વિશ્વ વંદનીય સંત પૂજ્ય શ્રી મોરારીબાપુ હરિયાણી સાથે આવું નિંદનીય કૃત્ય કરનાર પબુભા માણેક ઉપર પોલીસ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરી એફઆઇઆર નોંધે તેવી માંગ કરતું માંગરોળ ત્રીપાંખ સાધુ સમાજનાં વિનુભાઇ મેસવાણિયા, દિનેશબાપુ હરિયાણી, ઇશ્વરબાપુ ગોંડલિયા, ગુણવંતબાપુ સુખાનંદી, દિનેશબાપુ ગોસ્વામી (હિંગળાજ માતાજી મંદિર), દિપકગીરીબાપુ ગોસ્વામી, પ્રફુલભાઈ લશ્કરી, જીતુગીરી બાપુ ગોસ્વામી, બીરજુબાપુ મેસવાણિયા, બાલકૃષ્ણબાપુ મેસવાણિયા, નિલેશબાપુ હરિયાણી, વિમલબાપુ ગોંડલિયા, સમાજ સેવક કમલેશભાઈ ગોહેલ વિગેરે આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!