મોરારીબાપુ ઉપર થયેલ હુમલાને સાધુ-સંતો અને આગેવાનોએ વખોડી કાઢી જૂનાગઢ કલેકટરને અપાયું આવેદનપત્ર

0


મોરારીબાપુ, આખુ જૂનાગઢ આજે હતભ્રમ છે. આપ જૂનાગઢ આવો અમારે આપને અસલ સ્વરૂપમાં જાવા છે. અમો રામનું નામ જપવાનું શરૂ કર્યુ છે અદભૂત સંતને જાવા માંગીએ છીએ. આ શબ્દો છે જૂનાગઢનાં સાધુ-સંતો, વરિષ્ઠ આગેવાનો અને ખુદ પ્રજાજનોનાં… જૂનાગઢનાં મિનરાજ શૈક્ષણિક સંકુલ અને બાદમાં સર્કીટ હાઉસ ખાતે મળેલ વરિષ્ઠ આગેવાનોની બેઠકમાં આ શબ્દો બોલાયા હતાં. દ્વારકામાં પૂ.શ્રી મોરારીબાપુ ઉપર થયેલા હુમલા બાદ સંતો-મહંતો, આગેવાનો સહિતનાં લોકોમાં ભારે રોષ પ્રવર્તે છે ત્યારે મહામંડલેશ્વર પૂ.શ્રી ભારતી બાપુની આગેવાનીમાં કલેકટર સૌરભ પારઘીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને દેશનાં વરિષ્ઠ સંત મોરારીબાપુ ઉપર થયેલા હુમલાનાં પ્રયાસ માટે જવાબદાર સામે કાયદેસરનાં પગલા લેવા રજુઆત કરવામાં આવી હતી. અને એ પહેલા શ્રી મોરારીબાપુ ઉપર થયેલા હિચકારા હુમલાનાં પ્રયાસ બાદ જૂનાગઢમાં ભવનાથ સ્થિત મિનરાજ શૈક્ષણિક સંકુલ ખાતે ડો. ડી.પી. ચીખલીયા, હેમંતભાઈ નાણાવટી, યોગીભાઈ પઢીયાર અને દાદુભાઈ કનારા વચ્ચે મળેલી સંકલન બેઠકમાં પૂ. મોરારીબાપુ માટે જૂનાગઢ ‘સવાયા ઘર’ સમાન હોય ત્યારે આવા ગંભીર ધૃણાસ્પદ બનાવ બાબતે જૂનાગઢ શહેર એકી અવાજે વખોડે તેના માટે કાર્યક્રમનું યોજવાનું નકકી કરાયું હતું. કાર્યક્રમનાં ભાગરૂપે જૂનાગઢમાં મનોરંજન સર્કીટ હાઉસ ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુએ જણાવેલ કે, શ્રી મોરારીબાપુ સૌરાષ્ટ્ર સહીત ભારતનાં મહાન સંત છે.તેમણે સનાતન ધર્મ જ નહીં સૌની સાથે રાખી સર્વધર્મ સમભાવનું કામ કર્યું છે.  શ્રી ભારતીબાપુએ આ મામલે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજુઆત કરીશ અને નબળું સ્વાસ્થ હોવા છતાં હું મોરારીબાપુ માટે કાર્યરત થયો હોવાનું પણ શ્રી ભારતીબાપુએ જણાવ્યું હતું. જયારે મેયર ધીરૂભાઈ ગોહેલે જણાવેલ કે શ્રી મોરારીબાપુ સૌને માફી આપે છે અને તેમના માટે જેટલું કાર્ય થાય તેટલું ઓછું છે. ધારાસભ્ય ભીખાભાઈ જાષીએ જણાવેલ કે શ્રી મોરારીબાપુ ઉપર થયેલ હુમલાનો હિચકારો પ્રયાસ સહન થઈ ન શકે તેવો છે. મહામંડલેશ્વર જગજીવનદાસ બાપુ, ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ, પુનિત આશ્રમનાં પૂ.શૈલજા દેવીએ મોરારીબાપુ ઉપર થયેલા હુમલાના પ્રયાસને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. આ બેઠકમાં શહેર ભાજપના પ્રમુખ શશીકાંતભાઈ ભીમાણી, ડો.મેયર હિમાશું પંડ્યા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન રાકેશ ધુલેશીયા, શાસકપક્ષના નેતા નટુભાઈ પટોળીયા, જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ નટુભાઈ પોંકીયા, કોંગ્રેસ શહેર પ્રમુખ અમિતભાઈ પટેલ, પૂર્વ મેયર આદ્યાશક્તિબેન મજમુદાર, પૂર્વ ડે.મેયર ગિરીશભાઈ કોટેચા, પૂર્વ જીલ્લા હોમગાર્ડ કમાન્ડર વનરાજસિંહ રાયજાદા, ડો.બકુલ બુચ, ડો.ઉર્વિશ વસાવડા, ડો.શૈલેષ વાળા, બાર એસો.નાં પ્રમુખ ભાવેશભાઈ ઝીંઝુવાડીયા, એડવોકેટ પી.ડી.ગઢવી, રાજેશ બુચ, એન.ડી. મોરી, જયકીશનભાઈ દેવાણી, બ્રહ્મ સમાજનાં આગેવાન અશોકભાઈ ભટ્ટ, લોક સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી, જીતુદાદ, કવિશ્રી મિલીન્દ ગઢવી, હાજી રમકડું, અગ્રણીઓ ભુપતભાઈ શેઠીયા, મનસુખભાઈ વાજા, રમેશભાઈ શેઠ સહિત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં ઉપસ્થિત સાધુ-સંતો તેમજ રાજકીય, સામાજીક અગ્રણીઓએ પૂ.મોરારીબાપુ ઉપરના હુમલાને વખોડી કાઢીને આક્રોશ વ્યકત કર્યો હતો. દરમ્યાનમાં આજે બપોરે ૧ર વાગ્યે અપાયેલા આવેદનપત્રમાં સંતો સહિત આગેવાનોએ જણાવ્યું હતું કે સનાતન હિન્દુ ધર્મનાં વરિષ્ઠ સંત પૂ.શ્રી મોરારીબાપુએ રાજયનાં પ્રતિષ્ઠિત સાહીત્યક એવોર્ડ નરસિંહ મહેતા એવોર્ડ માટે ખુબ પુરૂષાર્થ કર્યો છે. તેમજ તેઓએ જૂનાગઢમાં એક નહીં પણ રામાયણની સાત-સાત કથા કરીને જૂનાગઢ શહેરને રામમય બનાવ્યું છે. પૂ.મોરારીબાપુએ હંમેશા બધાને આપ્યું છે માનવતા વાદી કરૂણામય જીવન વ્યતિત કરી રહેલા ઉમદા સંત મોરારીબાપુ ઉપર દ્વારકામાં જે થયું છે તે કલ્પી ન શકાય તેવું છે અને સમગ્ર સમાજ હતભ્રત બનેલ છે. વરિષ્ઠ સંત પૂ.મોરારીબાપુ ઉપર થયેલા હુમલાના પ્રયાસ માટે જે કોઈ જવાબદાર હોય તેની સામે કાયદેસરનાં પગલા લેવાવા જાઈએ અને આવા બનાવો ફરી ન બને તેવી કાર્યવાહી કરવા કલેકટરશ્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. મહામંડલેશ્વર
શ્રી ભારતીબાપુ, ગિરનાર અંબાજી મંદિર મહંત તનસુખગીરીબાપુ તથા સુર્યદેવ મંદિરના મહંત જગજીવનદાસ બાપુની આગેવાનીમાં ધારાસભ્ય ભીખાભાઈ જાષી, મેયર ધીરૂભાઈ ગોહેલ, શહેર ભાજપનાં પ્રમુખ શશીકાંતભાઈ ભીમાણી, ભાજપનાં યુવા આગેવાનો યોગીભાઈ પઢીયાર, શહેર કોગ્રેંસ પ્રમુખ અમીતભાઈ ઠુંમર, સામ્યવાદી પાર્ટીનાં બટુકભાઈ મકવાણા વગેરેએ કલેકટરને આવેદનપત્ર આપીને પોતાની વિરોધરૂપે લાગણી વ્યકત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!