માળીયા હાટીના તાલુકાનાં રામવાવ ફાટક પાસે અકસ્માતમાં ઈજાગ્રસ્તનું સારવાર દરમ્યાન મૃત્યું

0

કેશોદનાં ચાંદીગઢનાં પાટીયા નજીક રહેતાં રાહુલભાઈ વિનુભાઈ સોલંકીએ પોલીસમાં આ કામનાં આરોપી મરણજનાર જીતેશભાઈ મનોજભાઈ વાઘેલા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી તથા સાહેદ મનોજભાઈ બટુકભાઈ વાઘેલા બંને આ કામના આરોપી સાથે આરોપીના મોટરસાયકલમાં વેરાવળથી કેશોદ જતા હતા ત્યારે આરોપીએ પોતાના હવાલાનું મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ડાયવર્ઝન ઠેકાડી અકસ્માત કરી ફરીયાદીને તથા સાહેદને શરીરે ઈજાઓ કરી તથા આરોપીને માથામાં ગંભીર ઈજા થતાં તેમનું સારવાર દરમ્યાન રાજકોટ ખાતે મૃત્યુ નિપજતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અપમૃત્યું
કેશોદનાં પંચાળા ખાતે રહેતાં ચેતનભાઈ મોહનભાઈ મોકરીયાએ કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લેતાં તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે. આ બનાવનાં પગલે તેમનાં પરિવારજનોમાં શોક પ્રસરી ગયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!