જૂનાગઢમાં જુના મનદુઃખે છરી વડે હુમલો

0

જૂનાગઢનાં નાગર રોડ કારાપાણાની સીડી પાસે માહેશ્વરી એપાર્ટમેન્ટ બ્લોક નં.ર૦ર ખાતે રહેતાં સાગરભાઈ ભરતભાઈ રાણીંગાએ પોલીસમાં આ કામનાં આરોપી નિલેશભાઈ મનસુખભાઈ મહેતા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી તથા તેના મિત્ર ભાવીનભાઈ પ્રવિણભાઈ ડોડીયા ગણેશ ફળીયા નાગર રોડ ઉપર હતા ત્યારે આરોપી ત્યાં આવેલ અને જુના મનદુઃખનાં કારણે ફરીયાદીનાં મિત્ર ભાવીનભાઈ સાથે ઝઘડો કરવા લાગેલ જેથી ફરીયાદીએ તેને ઝઘડો કરવાની ના પાડતાં આરોપી એકદમ ઉશ્કેરાઈ જતાં જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગતાં તેને ગાળો બોલવાની ના પાડતાં આરોપીએ છરીથી ભાવીનભાઈને મારવા જતાં ફરીયાદી વચ્ચે પડતાં ફરીયાદીનાં જમણા હાથનાં અંગુઠા પાસેની આંગળીમાં ઈજા થતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!