દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુંબઈથી આવેલા માસી-ભાણેજ કોરોનાગ્રસ્ત

0

હાલ સમગ્ર દેશ સહીત ગુજરાતભરમાં કોરોના મહામારીનો વ્યાપ વધતો જઈ રહયો છે. રોજેરોજ કોરોના પોઝીટીવ કેસ વધી રહયા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. પરંતુ રવિવારે મુંબઈથી આવેલા એક પરિવારના સતર સભ્યો પૈકી માસી-ભાણીને કોરોના હોવાના રિપોર્ટ સાંપડ્‌યા છે. ખંભાળિયા તાલુકાના મૂળ વતની અને હાલ મુંબઈ ખાતે ધંધાર્થે સ્થાયી થયેલા સતવારા પરિવારજનો હાલ મુંબઈમાં કોરોનાથી સર્જાયેલી કફોડી હાલતના કારણે વતન પરત ફર્યા હતા. ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અગાઉના એક મળી, હાલ કુલ ત્રણ દર્દીઓ સારવાર હેઠળ છે. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંકડો ૨૩ સુધી પહોંચ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!