જૂનાગઢ ખોડીયાર ગૃપ દ્વારા અનાજ અને ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરાયું

0

જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દર મહીનાના પહેલા રવિવારે જરૂરીયાતમંદ કુટુંબોને વિના મુલ્યે અનાજની કીટ આપવામાં આવે છે. આ અનુસંધાને તા. પ-૭-ર૦નાં રોજ આદર્શ પ્રાયમરી સ્કુલ, દુબડી પ્લોટ, ગરબી ચોક, જૂનાગઢ ખો જરૂરીયાતમંદ પ૦ કુટુંબોને અનાજની કીટ આપવામાં આવેલ હતી. સાથે વિદ્યાર્થીઓને રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવેલ હતું.  આ તકે જયેન્દ્રભાઈ જાબનપુત્રા, તેજસભાઈ જાબનપુત્રા, કિશનભાઈ ઠકકર, હર્ષભાઈ ઠાકર, અરવિંદભાઈ મારડીયા, જાગૃતિબેન ખારોડ, જયશ્રીબેન ગાલોરીયા, પ્રવિણાબેન વાઘેલા, રમીલાબેન ઘુચલા, રોશનીબેન ઘુચલા વગેરે ઉપસ્થિત રહયા હતાં. આ પ્રસંગે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આ સંસ્થાને સન્માનપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અનાજ વિતરણમાં અલગ અલગ દાતાઓનો સહકાર મળ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા નરેન્દ્ર ઘુચલાએ જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!