સ્વ. નયનાબેન જાેબનપુત્રાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા ઓનલાઈન કાર્યક્રમ યોજાયો

0

જુનાગઢ શહેરનાં સેવાભાવી મહિલા અગ્રણી સ્વ. નયનાબેન જાેબનપુત્રાના સત્કર્મોનું સ્મરણ કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો એક ઓનલાઈન કાર્યક્રમ ‘સ્ત્રીનિકેત’ સંસ્થા જુનાગઢ શાખા દ્વારા યોજવામાં આવેલ હતો. સ્વ. નયનાબેનની સ્મૃતિમાં ઓનલાઈન હરિફાઈનું પણ આયોજન કરાયું હતું અને ૧ થી ૫ નંબરના વિજેતા બહેનોને જયેન્દ્રભાઈ જોબનપુત્રા તરફથી ઈનામો આપવામાં આવેલ હતાં. ‘સ્ત્રીનિકેતન’ દ્વારા યોજાયેલ ઓનલાઈન કાર્યક્રમને સફળ બનાવવા શ્રીમતી મિનાબેન ચગ, શ્રીમતી રશ્મિબેન વિઠલાણીએ માર્ગદર્શન આપેલ હતું તેમ જયેન્દ્રભાઈ જાેબનપુત્રાની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!