મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ ખાતે કોરોના સંદર્ભે સમિક્ષા બેઠક યોજી

0

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઈકાલે સાંજે સોમનાથ ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે માસ્ક પહેરવા સાથે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે અંગે તકેદારી લેવા અને તેનો સખ્તાઇથી અમલ કરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીને ગીર-સોમનાથ જિલ્લામાં તા. ૧૦/૦૭/૨૦૨૦ સુધીમાં કુલ ૧૩૬ કોરોનાના કેસ નોંધાયેલ છે. જે પૈકી અન્ય જિલ્લાનાં ૨૮, ગીર-સોમનાથના ૧૦૮ કેસ છે. જેમાંથી ગીર-સોમનાથના ૬૫ અને અન્ય જિલ્લાનાં ૧૩ દર્દીઓ એમ કુલ ૭૮ દર્દીઓ સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ એકટીવ કેસ ૫૩ છે. તેવી વિગતો જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કોરોનાના વધતા કેસો અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી આરોગ્ય સેવામાં કોઇ કચાસ ન રહે તેની તકેદારી લેવા જણાવ્યું હતું. જિલ્લા કલેકટર, રેન્જ ડિ.આઇ.જી., જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અધિકારીઓની બેઠક બાદ સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર પાસેથી પણ જિલ્લાની વિગતો મેળવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!