સોમનાથ દાદાના દર્શન-મહાપૂજા કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

0

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોનાથી ગુજરાતને મૂકત કરવા સાથે સોૈના કલ્યાણ માટે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પરિવાર સાથે પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવના દર્શન-મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ ધ્વજાના દર્શન કરી દેવાધીદેવ સોમનાથ ભગવાનને સોૈના કલ્યાણ માટે પ્રાર્થના કરી પત્રકારો સાથે સંવાદ કરતા કહયુ કે, લોકડાઉન બાદ મંદિરો ખુલતા દર્શન પૂજા કરવા આવવાની ઇચ્છા હતી જે આજે પુરી થઇ છે. સાથે-સાથે સોમનાથ દાદા સૌની રક્ષા કરે અને ગુજરાત વહેલી તકે કોરોના મૂકત બનશે તવી શ્રધ્ધા વ્યકત કરી હતી. કોરોનાના કેસ વધી રહયા છે, ત્યારે સર્વેલન્સ લોકોના ઘરે ઘરે જઇ દવા આપવી સહિતના ઘનીષ્ઠ આરોગ્ય વિષયક પગલા લેવા ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય સત્તાવાળાઓને સ્પષ્ટ સુચના આપવા સાથે વિશેષ તકેદારી લેવા મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યંુ હતુ. મુખ્યમંત્રીના સોમનાથ દર્શન પૂજનમાં સાસંદ રાજેશભાઇ ચુડાસમા, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શ્રીમતી અંજલીબેન રૂપાણી અને પરિવારજનો, અગ્રણી નીતિનભાઇ ભારદ્રાજ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહભાગી થયા હતા. મંદીરના મુખ્ય પૂજારી ધનંજય દવેએ શાસ્ત્રોક્ત વિધિથી ધ્વજાપૂજા કરાવી હતી. મુખ્યમંત્રીએ સોૈ પ્રથમ ભગવાન ગણેશજીના અને હનુમાનજીના દર્શન કર્યા હતા. આ તકે જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી. મનીન્દરસીંઘ પવાર, જિલ્લા કલેકટર અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સહિત જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!