જૂનાગઢમાં સ્થાનકવાસી જૈન સંઘનાં હોદ્દેદારોની વરણી

0

જૂનાગઢમાં સ્થાનકવાસી જૈન સંઘની વાડીમાં ગઈકાલે એક મિટીંગ મળી હતી અને તેમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં લલીતભાઈ વ્રજલાલ દોષી પ્રમુખ, મહેન્દ્રભાઈ પ્રવિણચંદ્ર ઉદાણી ઉપપ્રમુખ, લલીતભાઈ પ્રાણલાલ લાઠીયા, અમીત ધીરજલાલ મોદી, કમલેશ શરદશંદ્ર અવલાણી વગેરેની મંત્રી તરીકે વરણી થઈ છે. જયારે સહમંત્રી તરીકે અભયભાઈ ઈશ્વરલાલ પારેખ અને રાજેન્દ્ર છગનલાલ દોશી અને ખજાનચી તરીકે અશ્વિનભાઈ શાંતિલાલ અવલાણી તેમજ ઓડીટર તરીકે કિશોરભાઈ પ્રેમચંદભાઈ અજમેરાની વરણી થઈ છે. અનાજ રાહત સમિતિ તથા મહેતા નિદાન કેન્દ્રનાં ચેરમેન બિપીનભાઈ પ્રભુદાસભાઈ કામદારની વરણી થતાં અભિનંદનની વર્ષા કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!