જૂનાગઢનાં જાેષીપરા વિસ્તારમાં ગતરાત્રે દારૂનાં પ્રશ્ને યુવાનની કરપીણ હત્યા

0

જૂનાગઢ શહેરનાં જાેષીપરા વિસ્તારમાં ગત મોડીરાત્રે સામાન્ય બાબતે બખેડો થતાં એક યુવાનની છરીનાં ઘા ઝીંકી કરપીણ હત્યાનો બનાવ બનવા પામ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ જાેષીપરાનાં નંદનવન મેઈન રોડ વિસ્તારમાં રહેતા પિતરાઈ ભાઈઓ તૌફીક અલીભાઈ ચોટીયારા (ઉ.વ. ર૯) અને રીઝવાન હસન ચોટીયારાની સાથે રાત્રે બે વાગ્યે દારૂની બોટલનાં પ્રશ્ને માથાકુટ થઈ હતી. પસંદગીની દારૂની બોટલને બદલે બીજી બોટલ આવતાં રીઝવાન ચોટીયારા ઉશ્કેરાઈ ગયો હતો અને છરીનો એક જ ઘા તોફીક ચોટારીયાને છાતીનાં ભાગે ઝીંકી દેતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. દારૂની બોટલને લઈને રીઝવા ચોટીયારાને તેનાં પિતરાઈ ભાઈ તોફીક ચોટીયારાની હત્યા કરી નાંખતાં સનસનાટી મચી જવા પામી હતી. આ બનાવ અંગે મૃતકનાં પિતા અલીભાઈ ઉંમરભાઈ ચોટારીયાની ફરીયાદનાં આધારે પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૦ર અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. અને આરોપી રિઝવાન ચોટારીયાની ધરપકડ કરી છે. આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીઆઈ આર.બી. સોલંકી ચલાવી રહ્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!