તલાટી મંત્રીનાં પત્નીનો આપઘાત : મૃતક યુવતિના પરિવારજનોએ હત્યાનો કર્યો આક્ષેપ

0

વિસાવદર ખાતે રહેતા અને નાની પીંડાખાઈના તલાટી મંત્રીની પત્નીએ તેમના ઘરમાં પંખા ઉપર ચુંદડી વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાે કે, આ બનાવ પ્રાથમિક તપાસમાં આપઘાતનો હોવાનું જાહેર કરાતાં મૃતક યુવતિના પરિવારજનોએ તેની દિકરીને હત્યા થયાનો આક્ષેપ કરતાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો મુજબ વિસાવદરમાં જકાતનાકા પાસે રહેતા પાર્થ સુરેશભાઈ પંડયા નાની પીંડાખાઈ ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવે છે. તેમના અઢી વર્ષ પહેલાં જેતપુરના જીતેન્દ્રભાઈ ઠાકરની પુત્રી પ્રિયંકા સાથે લગ્ન થયા હતા. તેઓ બંને વિસાવદરમાં રહેતા હતા. ગઈકાલે સવારે બનેલા આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પીઆઈ પટેલઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારે તેના ઘરના બંધ રૂરમાં પંખા ઉપર ચુંદડી વડે ગાળાફાંસો ખાધેલી હાલતમાં પ્રિયંકાની લાશ મળી હતી જેનું વિસાવદર હસ્પીટલે ખસેડી પીએમ કરાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે હજુ પીએમનો રિપોર્ટ આવેલ નથી પરંતુ તબીબી અભિપ્રાય મુજબ બનાવ આપઘાતનો છે. પ્રિયંકાના મૃતદેહને જૂનાગઢ સ્થિત તેના સસરાના ઘરે લાવવામાં આવ્યો હતો જયાં તેનીબહેન, ભાઈ અક્ષય ઠાકર, પિતરાઈ ભાઈ ધ્રુવ વિનોદભાઈ ઠાકર વગેરેએ જણાવ્યું હતું કે તેના પતિ તેને માનસિક હેરાન કરતો હતો જેથી મૃતકનું ફરીથી પીએમ કરવા માંગણી કરાઈ હતી. પરિવારજનોના આક્રોશને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને બાદમાં પ્રિયંકાની અંતિમવિધિની તૈયારી કરાઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!