જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, વધુ ૩૭ કેસ નોંધાયા, ૧નું મૃત્યું

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં દિવસે-દિવસે કોરોનાનું સંક્રમણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૩૭ કેસ નોંધાયા છે જે પૈકી ૧૬ કેસ જૂનાગઢ શહેરનાં છે તેમાં જૂનાગઢ શહેરના ૧ દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ નિપજેલ છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના ૩૭ પોઝીટીવ કેસ નોંધાયેલ છે જયારે ૧૮ દર્દીઓ સ્વસ્થ થતાં તેને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવેલ છે. કોરોનાના કુલ ર૦૪ કેસ પોઝીટીવ છે. જૂનાગઢ જિલ્લાના જિલ્લાના ૯ તાલુકામાંથી ૮ તાલુકામાં કોરોનાના કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેરના કોરોનાના ૧૬ કેસ ઉપરાંત જૂનાગઢ તાલુકાના કેશોદમાં – પ, માળીયાહાટીના ૧, માણાવદર – ર, મેંદરડા ૩, માંગરોળ ૧, વંથલી – ર અને વિસાવદર તાલુકામાં કોરોનાનો ૧ કેસ નોંધાયો છે. એક માત્ર ભેંસાણ તાલુકામાં ગઈકાલે એક પણ કેસ નોંધાયો નથી. ગઈકાલે ર૯૩ સેમ્પલ લેવાયેલ છે જેનો કોરોનાનો રિપોર્ટ હજુ પેન્ડીંગ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!