ખંભાળિયામાં રઘુવંશી વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું

0

ખંભાળિયામાં રઘુવંશી સેવા સંસ્થાન લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે તાજેતરમાં જ્ઞાતિના વિદ્યાર્થીઓને નોટબુક (ચોપડા) વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયામાં જલારામ ચોક ખાતે આવેલી લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલા નોટબુક વિતરણ કાર્યક્રમમાં જ્ઞાતિના આશરે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક (ચોપડા)નું વિતરણ કરાયું હતું. આ માટે રાજકોટના મનન હોસ્પિટલવાળા ડાૅ. નીતિનભાઈ લાલ પરિવાર દ્વારા વધુ એક વખત સહભાગી થઈ, ૧૫૦૦ જેટલા માસ્કનું પણ વિતરણ કરાયું હતું. આ ઉપરાંત આ સેવાકાર્ય માટે તબીબ ડો. રાજેશભાઈ ઠક્કર, નિલેશભાઈ જી. રાયઠઠ્ઠા, વલ્લભભાઈ લાલ હસમુખભાઈ સામાણી (મારૂતિ મોબાઈલવાળા) વિગેરે દાતાઓનો પણ આર્થિક સહયોગ સાંપડ્યો હતો. આ આયોજન માટે લોહાણા મિત્ર મંડળ દ્વારા દરેક દાતાઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આમ, જ્ઞાતિની માતૃસંસ્થા લોહાણા મહાજનના ટ્રસ્ટીઓની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલા સેવા કાર્યક્રમમાં કોરોના અંગેની ગાઈડલાઈનને અનુસરીને લોહાણા મિત્ર મંડળની ટીમ દ્વારા ચોપડા વિતરણ તથા દાતાઓના સન્માનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિજનોનો પણ સહકાર સાંપડ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!