જૂનાગઢનાં માલીવાડા નજીક શ્રાવણમાસમાં શિવાલયમાંથી રૂા.૩પ૦૦નાં મુદ્દામાલની ચોરી

0

જૂનાગઢનાં માલીવાડા રોડ પાસે આવેલા એક શિવાલયમાં ચોરીનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર માલીવાડા રોડ ખાતે રહેતાં પિયુષભાઈ અમુલાલ ચાવડાએ પોલીસમાં આ કામનાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ ફરીયાદીનાં ઘરની બાજુમાં આવેલ શિવમંદિરમાંથી નાગદેવતા ત્રાંબાના, નાની ગળતી પીતળની, દીવી, આરતી, ત્રિશુળ, ટકોરી, ડબરી સહિત કુલ રૂા.૩પ૦૦નાં મુદ્દામાલની ચોરી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!