રંગપુરમાં રસ્તા બાબતનાં મનદુઃખમાં મારામારી થઇ

0

સુત્રાપાડા તાલુકાના રંગપુર ગામે રહેતા અજીત કચરાભાઇ જાદવ તથા તેની પત્ની નિમુબેન અને પિતા કચરાભાઇને જાહેરમાં ચાલવાના રસ્તા બાબતના જૂના મનદુઃખ હોય તે બાબતે રામસીંગ ભગવાન જાદવ, ભગવાન કાળાભાઇ જાદવ, વિજય ભગવાન, શોભનાબેન રામસીંગ, જેવાયબેન, જીજ્ઞાબેન સહીતનાએ ઢીકાપાટુ તેમજ લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાની તેમજ સામે પક્ષે રામસીંગ જાદવે ખેતરના શેઢે આવેલ પાળાના જૂના મનદુઃખના કારણે કચરા કાળાભાઇ જાદવ, અજીત કચરાભાઇ જાદવ, પ્રતાપ કચરાભાઇ જાદવે રામસીંગ તથા તેના પિતા ભગવાનભાઇને માર મારેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા બંન્ને પક્ષની ફરીયાદ નોંધી વધુ તપાસ એ.એસ.આઇ. પ્રતાપસિંહ ડોડીયાએ હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!