જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનાં વધુ ૩૪ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાનાં વધુ ૩૪ કેસ નોંધાયા છે. કોરોનાનું સંક્રમણ હજુ પણ અટકવાનું નામ લેતું ન હોય તેમ રોજબરોજ કોરોનાનાં કેસ નોંધાતા હોય લોકોએ સેનીટાઈઝેશનની વધુને વધુ કાળજી રાખવી જરૂરી હોવાનું આરોગ્ય વિભાગે જણાવેલ છે. ગઈકાલે જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં નોંધાયેલા નવા કોરોના ૩૪ કેસ પૈકી જૂનાગઢ સીટીમાં ર૦, જૂનાગઢ ગ્રામ્ય ૧, ભેંસાણ-ર, માળીયા ૩, માણાવદર ૧, મેંદરડા ર, વંથલી ૩ અને વિસાવદરમાં કોરોનાનો એક કેસ નોંધાયેલ છે. જયારે માંગરોળમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ગઈકાલે ૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!