જૂનાગઢની સિવીલ હોસ્પિટલની વધુ એક ભયંકર બેદરકારીસામે આવી – કોરોના દર્દીનો મૃતદેહ અઢી કલાક સુધી ટોયલેટમાં પડયો રહયો

0

જૂનાગઢની સિવીલ હોસ્પિટલ જેમ અધતન સુવિધાથી વિખ્યાત બનેલ છે અને અહીં આવનારા દર્દીઓને તમામ શ્રેષ્ઠ સારવાર મળે તે માટેના દાવા કરવામાં આવી રહયા છે. તો બીજી તરફ આ હોસ્પિટલમાં બેદરકારીની અનેક ક્ષતિઓ સામે આવી છે. આજે કોરોના વોર્ડ ૭૦૧ સાતમા માળે આવેલા આ વોર્ડનાં ટોયલેટમાં એક કોરોના દર્દીનો મૃતદેહ પડયો હોવાની અઢી કલાક સુધી કોઈને ખબર ન પડતા બેદરકારી બહાર આવી છે. આ અંગે મળતી વિગત અનુસાર સવારે ૭ વાગ્યે કોરોનાનાં દર્દીનો મૃતદેહ ટોયલેટમાં પડયો હોવાનું છેક ૧૦ વાગ્યાની આસપાસ ખુલવા પામેલ છે. અને સતત બે થી ત્રણ કલાક સુધી કોઈને આ બાબતનો ખ્યાલ જ આવ્યો નહીં. તે જાેતા સિવીલ હોસ્પિટલની આ બેદરકારી સામે રોષ ફેલાયો છે. આ લખાય છે ત્યારે ટોયલેટમાં પડેલી ડેડબોડી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અને વિશેષમાં જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓને રામ ભરોસે મુકી દેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!