જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ યથાવત : ગઈકાલે કોરોનાના વધુ ર૭ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના ગઈકાલે વધુ ર૭ કેસ નોંધાયા હતા. જયારે ૩૮ દર્દીઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧,૩૯૯ કેસ કોરોનાના નોંધાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા રોજબરોજ વધી રહી છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કોરોનાના ર૭ કેસ પૈકી ૧ર કેસ જૂનાગઢ શહેર, જૂનાગઢ ગ્રામ્ય -ર, કેશોદ -પ, વિસાવદર-ર, ભેંસાણ, માળીયાહાટીના, માણાવદર, મેંદરડા, માંગરોળ, વંથલી તાલુકામાં ૧-૧ કેસ નોંધાયો છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ર૩૮ સ્થળો કન્ટેઈનમેન્ટ ઝોન બનાવાયેલ છે જેના ર,ર૪૩ ઘરોમાં ૮,૩૧પ લોકો વસવાટ કરી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!