માંગરોળ : ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાત ગામડા સંપર્ક વિહોણાં

0

માંગરોળ કામનાથ પાસે આવેલી નોળી નદીમાં ગઈકાલે ઉપરવાસમાં તેમજ માંગરોળ પંથકમાં સાડાત્રણ ઈંચ જેટલા ભારે વરસાદનાં કારણે બપોર બાદ કામનાથ નદીના પુલ ઉપર ધોધમાર પાણીના વહેણ વહેતાં હજુ આજે પણ આ પરિસ્થિતિ યથાવત રહેલ છે. હાલ માંગરોળ જવા માટે રસ્તો બંધ થઈ જતાં કોટડા નવા- જૂના, ઢેલાણા વાડી વિસ્તાર, લંબોરા, વીરપુર, સકરાણા, જુથળ અને ચોટિલિવિડી તેમજ સેખપુર સહિત માંગરોળથી વિમુખ થતાં આ ગામજનોને માંદગી, નોકરી, ચીજવસ્તુઓ ખરીદવા, જવા તેમજ કોઈ અગત્યના કામે માંગરોળ ન જઈ શકાતા આ ગામના લોકોને ખૂબજ હેરાનગતિ ભોગવવી પડી રહેલ છે. આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા લોકમાંથણી ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!