જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનાં વધુ ર૮ કેસ નોંધાયા, બે દર્દીના મૃત્યું

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ સતત નોંધાઈ રહેલ છે. ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કુલ ર૮ કેસ કોરોનાના નોંધાયા છે જેમાં જૂનાગઢ શહેર ૧૪, જૂનાગઢ ગ્રામ્ય ૧, કેશોદ ૩, ભેસાણ ૧, માળીયા ૧, માણાવદર -ર, મેંદરડા ૧, માંગરોળ -ર, વંથલી -ર અને વિસાવદરમાં કોરોનાનો ૧ કેસ નોંધાયો છે. ગઈકાલે રપ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. કોરોનાને લઈ જૂનાગઢ ગ્રામ્યમાં ૧ અને માણાવદરના ૧ દર્દી સહિત બે ના મૃત્યું નિપજયાં છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ર૦૪ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેના ર૦૦૩ ઘરોમાં ૭૪૩૧ લોકો વસવાટ કરી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!