ગીરગઢડામાં દિપડાનો મૃતદેહ મળ્યો

0


ઉનાનાં ગીરગઢડા ગામે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં મકાનનું બાંધકામ ચાલુ હોય રાત્રીનાં શિકારની લાલચમાં એક પુખ્ત ઉંમરનો દિપડો આવેલ અને વહેલી સવારે મૃત હાલતમાં પડેલ હોય ગીર વન વિભાગને જાણ કરતાં ઘટના સ્થળે આવી દિપડાનો મૃતદેહનો કબ્જાે લઈ પીએમ માટે જશાધાર (ગીર) ખસેડેલ છે. પ્રાથમિક કારણમાં દિપડો ઉંમરલાયક થયેલ હોય કુદરતી મોત થયાનું જાણવા મળેલ છે.
દાઝી જતાં સારવારમાં
ગીરગઢડા તાલુકાનાં સણોસરી ગામનાં કનુભાઈ બિહારીદાસ નિમાવત (ઉ.વ. ૪૦) અચાનક પ્રાયમસમાં ભડકો થતાં દાઝી જતાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડેલ છે.
વળતર ચુકવવા માંગણી
ગીરગઢડા તાલુકાનાં સનવાવ ગામનાં સરપંચ ગીતાબેન બારેયાએ મામલતદારને લેખીતમાં રજુઆત કરેલ છે કે ભારે વરસાદ થતાં ખેતીની જમીનમાં ભારે ધોવાણ થવાની ચોમાસુ પાક નિષ્ફળ ગયો હોય તાત્કાલીક વળતર ચુકવવા માંગણી કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!