ગીર સોમનાથ જીલ્લામાં નવા ૧૬ કેસની સાથે આંકડો એક હજારને પાર પહોંચ્યો : ૧ દર્દીનું મૃત્યું

0

ગીર સોમનાથ જીલ્લાામાં ગઈકાલે કોરોનાના ૧૬ નવા પોઝીટીવ કેસો આવેલ છે. જયારે જીલ્લાના કોડીનારના એક દર્દીનું મૃત્યું નિપજેલ છે અને સારવાર હેઠળના ૧૩ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૧૦૦૬ ઉપર પહોંચેલ છે. ગીર સોમનાથ જીલ્લાના ચાર તાલુકાઓમાં ગઈકાલે ૧૬ પોઝીટીવ કેસો આવેલ છે જેમાં વેરાવળના-પ, સુત્રાપાડાના-૬, કોડીનારના-૧, ઉનાના-૪ પોઝીટીવ દર્દીઓ આવેલ છે. જયારે કોડીનારના એક દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજેલ છે. કોરોનાની સારવારમાં રહેલ વેરાવળના ૪, કોડીનારના ૪, ઉનાના ૩, ગીરગઢડાના ૧, તાલાલાના ૧ મળી કુલ ૧૩ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરી દેવાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!