વેરાવળ રેલ્વે સ્ટેશનમાંથી મળી આવેલ અજાણી મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યું

0

વેરાવળ રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નં.૧ ઉપરથી પાંચ માસ પહેલા મળેલ અજાણી મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજેલ છે. અજાણી મહિલાના કોઇ વાલી-વારસ હોય તેઓએ રેલ્વે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરેલ છે. રેલ્વે પોલીસના એ.એસ.આઇ. પ્રવિણચંદ્ર ચૌહાણ (મો.૭પ૬૭૧ ર૯૩૩ર) એ જણાવેલ કે, ગત તા. રપ-ર-ર૦ર૦ના રોજ વેરાવળ રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નં.૧ ઉપર બીમાર હાલતમાં એક મહિલા પડેલ હોય જેને પ્રથમ વેરાવળ સરકારી હોસ્પીટમાં અને ત્યાંથી જૂનાગઢ સીવીલ હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ જયાં તા.ર૬-૮-ર૦ર૦ના રોજ મૃત્યું નીપજેલ છે. આ અજાણી મહિલાની પ્રાથમીક તપાસમાં તેનું નામ કમતુબેન મથુરભાઇ ડામોર આદીવાસી (ઉ.વ.આશરે ૬પ) ની હોવાનું જાણવા મળેલ છે. આ મહિલા પાતળા બાંધાની અને રંગે ઘઉં વર્ણની તથા ઉંચાઇ પ-પ અને માથામાં સફેદ વાળ તથા જમણા હાથમાં ફુલડા અને ગુજરાતીમાં કંકુબેન તથા ડાબા હાથમાં ફુલડા અને મોરનું ચીત્ર ત્રોફાવેલ છે. આ અજાણી મહિલાના વાલી-વારસોએ રેલ્વે પોલીસનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!