ગીર સોમનાથ જીલ્લામાં ૧૪ કેસ અને ૧૧ને ડીસ્ચાર્જ કરાયા

0

ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે ૧૪ કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે. જયારે સારવાર હેઠળના ૧૧ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૧૦૪૮ ઉપર પહોંચેલ છે. ગીર સોમનાથ જીલ્લાના ચાર તાલુકાઓમાંથી ગઈકાલે ૧૪ પોઝીટીવ કેસો આવેલ છે. જેમાં વેરાવળ-૫, કોડીનાર-૨, ઉના-૩, તાલાલાના-૪ દર્દી પોઝીટીવ આવેલ છે. જયારે કોરોનાની સારવારમાં રહેલ વેરાવળના ૮, કોડીનાર, ઉના અને તાલાલાના ૧-૧-૧ મળી કુલ ૧૧ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરી દેવાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!