વંથલી તાલુકાનાં નાનાકાજલીયાળા ગામે મકાનમાં તસ્કરો ત્રાટકયા : રૂા.૧.૧૦ લાખનાં દાગીનાની ચોરી

0

વંથલી તાલુકાના નાનાકાજલીયાળા ગામે મંજુબેન પરમાર (ઉ.વ.૬૦)નાં કબાટમાં રાખેલ સવા તોલાનો સોનાનો ચેન તથા બે ગ્રામની કાનની સર તથા અડધા તોલાના બુંટીયા તથા બે ગ્રામનો ઓમ તથા બે તોલાનો બાજુબંધ એમ કુલ ૪ તોલાની આશરે કી.રૂા.૧,૦૦,૦૦૦/- તથા સાત ગ્રામના ચાંદીના સાકરા તથા ત્રણસો ગ્રામની જાંજરી તથા બસો ગ્રામના હાથના પોચીયા એમ આશરે કુલ પ૧૧ ગ્રામની કિ.રૂા.૧૦,૦૦૦/- કુલ ૧,૧૦,૦૦૦/-ની કોઈ અજાણ્યા ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા બાબતની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!