કાલથી જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ચલો તાલુકે બે દિવસનો કાર્યક્રમ

0

નવાનિયુકત જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કાલથી તા.૮ અને ૯ સપ્ટેમ્બરના રોજ ચલો તાલુકે કાર્યક્રમ યોજાશે. શ્રી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે વર્તમાન કોરોના મહામારીની સ્થિતિને લઈ શાળાના મુંજવતા માર્ગદર્શક પ્રશ્નો તથા રજુઆત કાર્યક્રમના આગળના દિવસે ૧ કલાક પહેલા લાઈઝન અધીકારીને પહોંચતા કરવા તા.૮ના રોજ સવારે ૧૦ કલાકે વિનય મંદિર ભેંસાણ અને બપોરે ૩ કલાકે બીઆરસી ભવન તેમજ તા.૯ના રોજ સવારે ૧૦ કલાકે એપોલો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિસાવદર અને બપોરે ૩ કલાકે બીઆરસી ભવન ખાતે જીલ્લા શિક્ષણાધિકારી અને જીલ્લા પ્રા.શિ.અધિકારીની કચેરીને મિટીંગ માટે દિવસ બે ફાળવેલ છે. શ્રી ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે જીલ્લામાં આ નવો પ્રયાસ છે અને તેનો તબકકાવાર તાલુકાનું આયોજન કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!