જૂનાગઢ ઉપલા દાતારના દર્શને ગિરનાર તીર્થ ક્ષેત્રના વરિષ્ઠ સંતો

0

જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા માં ગિરનાર તીર્થ ક્ષેત્રના વરિષ્ઠ સંતોમાં પૂજ્ય શેરનાથબાપુ સાથે અગ્નિ અખાડાના સભાપતિ અને ભારત સાધુ સમાજના અધ્યક્ષ પૂજ્ય મૂકતાનંદ બાપુ અને હરિયાણાના બ્રહ્મચારી સંપુર્ણાનંદ બાપુ સહિતના સંર્તાએ દાતાર બાપુના દર્શન કરી જગ્યાના મહંત ભીમબાપુએ જગ્યામાં આવેલા સંતોનું સ્વાગત સાથે સન્માન કર્યું હતું અને જગ્યાના વિકાસ અને પરંપરાની જાણકારી આપી હતી અને પધારેલા સંતોએ જગ્યામાં દાતાર બાપુની ગુફાના દર્શન અને અન્ય વિભાગોની મુલાકાત લીધી હતી અને ભીમબાપુએ જગ્યામાં ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિની જાણકારી આપી હતી. સંતોએ જગ્યામાં ચાલી રહેલા અવિરત અન્નક્ષેત્ર અને ગૌશાળા, અખૂટ ભંડાર વગેરે વિભાગોની મુલાકાત લીધી હતી. આટલી ઊંચાઈ ઉપર આવેલી જગ્યા ઉપર ચાલી રહેલી સેવા પ્રવૃત્તિથી સંતો ખુશ થયા હતા અને ભીમબાપુની પ્રશંસા કરી રૂડા આશિર્વાદ સાથે દિન દુઃખિયાની સેવા કરતા રહો અને દાતાર બાપુની જગ્યાનો અવિરત વિકાસ જોઈ ખુશ થયા હતા અને જગ્યા ખાતે પ્રસાદ પણ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!