મનપાએ ખોદકામ તો કર્યુ અને વેપારીઓએ સૌ સાથે શ્રમયજ્ઞ કરી મહામહેનતે ખાડો બુર્યો

0

જૂનાગઢ મહાનગરપાલિકાનું તંત્ર દિવસે- દિવસે કથળી જતું હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. મનપા તંત્ર દ્વારા રસ્તાના કામો તો થતાં નથી પરંતુ કોઈપણ કારણોસર ખોદકામ કરવામાં આવતું હોય તેવા રસ્તામાં પડેલા ખોદેલા ખાડાઓને બુરવાની કામગીરી થતી નથી અને જેને લઈને લોકોને ભારે મુસીબત પડી રહી છે. આવો જ એક બનાવ જૂનાગઢના માંગનાથ રોડ વિસ્તારમાં બનેલ છે. માંગનાથમાં પટેલ રસ ડપો પાસે કોઈ કારણસર ખોદકામ થયું પરંતુ અનેકવાર રજુઆતો કરવા છતાં કોર્પોરેશન દ્વારા આ ખાડો રીપેર કરવામાં આવ્યો નહીં અને આખરે આ વિસ્તરાના વેપારીઓએ ૯-૯-ર૦ર૦નાં રોજ પોતાના ખર્ચે મહેનત કરી આ ખાડો બુરી દીધો છે અને મનપા તંત્રને જાણે ગાલેે તમાચો મારી દીધો છે અને તમે ન કરો તો કાંઈ નહીં અમે અમારે રીતે જાત મહેનત જીંદાબાદથી આ ખાડો બુરી દીધો.
મનપા તંત્રનાં અધિકારીઓ સામે અનેક વખત રજુઆત કર્યા પછી ખાડો પુરવા જેવા સામાન્ય બાબત કામ થતું નથી તેનો આ પુરાવો છે

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!