જશુભાઈ ઉનડકટનું કોરોનાને કારણે દુઃખદ નિધન થતા સર્વોદય બ્લડ બેંક શોકમગ્ન

0

જૂનાગઢમાં છેલ્લા પ૧ વર્ષથી સ્વૈચ્છીક રકતદાન કરી પ્રવૃત્તિ કરી રહેલા મહેન્દ્ર મશરૂનાં સાથી અને કાયમી રકતદાતા તેમજ જૂનાગઢ લોહાણા મહાજન જ્ઞાતિ મંડળનાં ઈ.પ્રમુખ અને જૂનાગઢ શ્રી જલારામ મંદિરનાં સીનીયર ટ્રસ્ટી જશુભાઈ ઉનડકટનું તાજેતરમાં કોરોનાને કારણે દુઃખદ અવસાન થતા સર્વોદય બ્લડ બેંક તથા સહયોગી સેવા સંસ્થાઓએ ઉંડા દુઃખ તથા શોકની લાગણી વ્યકત કરી છે. સ્વ. જશુભાઈ ઉનડકટને શોકાજંલી અર્પતા મહેન્દ્રભાઈ મશરૂએ જણાવ્યું હતું કે તેઓ ઉત્તમ કાર્યકર્તા તથા સેવાભાવી સજજન હતા. તેમનું રકતદાન પ્રવૃત્તિમાં મોટું પ્રદાન રહ્યું હતું. સમાજ સેવા તથા જ્ઞાતિ સેવામાં તેમનો ઉત્તમ ફાળો રહ્યો હતો. લોકડાઉનમાં જાહેર હેતું માટે લોહાણા મહાજન વાડી ખાતે સર્વોદય બ્લડ બેંક દ્વારા ચલાવાયેલા રાહત રસોડામાં સતત ૬૬ દિવસ સુધી તેમણે સેવાઓ આપેલ હતી. તેમનાં નિધનથી સમગ્ર જન સમાજને એક ઉમદા માનવીની ખોટ પડી છે જે કદી પુરી શકાશે નહી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!