કોરોના સંક્રમણને જાેતા રાજકીય પક્ષો દ્વારા હવે રેલીઓ અને સભાઓ નહી યોજાય

0

રાજયમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આ મામલે હાઈકોર્ટમાં થયેલ સુઓમોટો બાદ હાઈકોર્ટે રાજકીય પક્ષો અને નેતાઓ તેમજ જનતાને ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે રાજકીય લોકો સહિતના બધા સરકારની ગાઈડલાઈનનું પાલન કરે નિયમો અને કાયમી બધા માટે સરખા છે ત્યારે હાઈકોર્ટની આ ટકોર બાદ ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ રાજકીય પાર્ટીઓ અને રાજનેતાઓ શાંત બની ગયા છે. રાજયમાં કોરોના સંક્રમણના સમયમાં હવે કોઈ જગ્યાએ રાજકીય રેલી કે જાહેરસભા નહીં થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં કોરોના સમયમાં વિધાનસભાની પેટાચૂંટણી આવશે ત્યારે પણ જાહેરસભા ઉપર નિયંત્રણ મુકવામાં આવી શકે છે. બંને પાર્ટીઓએ તેમના પ્રચારનું માધ્યમ બદલીને સોશ્યલ મીડિયા ઉપર કેન્દ્ર કર્યું છે.ગુજરાત ભાજપના નવા પ્રમુખ સીઆર પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ કરીને રેલી અને સભાનું આયોજન કરી કાર્યકરો તેમજ લોકોને એકત્ર કર્યા હતા જેની સોશ્યલ મીડિયામાં ટીકાઓ થઈ હતી. દરમ્યાન સીઆર પાટીલને કોરોના પોઝિટિવ આવતા તેઓ હાલ સારવાર પૂર્ણ કરીને ઘરમાં કવોરન્ટાઈન થયેલ છે. હવે તેઓ ગુજરાતના જિલ્લા અને ઝોન પ્રમાણેના પ્રવાસ ટૂંકાવી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસે પણ સભાઓ અને રેલીઓ નહીં કરવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશીએ કહ્યું હતું કે અમે કોરોના સંક્રમણના સમયમાં ભાજપની જેમ રેલીઓ તેમજ સભાઓ કરતા નથી. અમે ભાજપની સભાઓની ટીકા પણ કરી હતી અને પરિણામ સામે આવ્યું છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. અમે અમારૂ ધ્યાન સોશ્યલ મીડિયા ઉપર કેન્દ્રીત કર્યું છે. સામાન્ય રીતે ગુજરાતમાં કોરોના સંક્રમણના સમયમાં ભીડ, સરઘસ, રેલી કે મેળાવડામાં સામાન્ય રીતે ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોય છે. ભાજપની રેલીઓમાં તે જાેવામાં આવ્યું છે.કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ રેલી કે મેળાવડા કરતા હોય છે. બંને પાર્ટીના નેતાઓએ સમજવું જાેઈએ કે કોરોના સંક્રમણના સમયે ભીડ એકત્ર કરવી એ જાેખમથી ભરેલુ પગલું છે. ભાજપના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે અમે મેળાવડા કરતા હવે સોશ્યલ મીડિયા થકી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું એ સાથે અમે જિલ્લામાં કે શહેરોમાં કાર્યકરો કે આગેવાનો સાથે ચર્ચા કરવી હશે તો વીડિયો કોન્ફરન્સનામાધ્યમનો પ્રયોગ કરવામાં આવશે. ડિજિટલ યુગમાં કોઈપણ પાર્ટી તેના કાર્યકરો સુધી પહોંચી શકે છે અને કોઈપણ મેસેજ આપી શકે છે. ત્યારે હવે રાજકીય પક્ષો અને નેતાઓ સરકારની ગાઈડલાઈનનું કેટલું ચુસ્તપણે પાલન કરે છે કે પછી પોતાના માટે અલગ નિયમો અને જનતા માટે અલગ એ તો આવનાર સમય બતાવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!