જૂનાગઢમાં ફરજમાં રૂકાવટ અંગે પોલીસ ફરીયાદ

0

બી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જયવંતસિંહે ઝાંઝરડા ચોકડી પાસે બનેલા બનાવ અંગે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, મુળ માંગરોળનાં અને સરદાબાગ ઘાંચીપટ વિસ્તારમાં રહેતા આરીફ કાસમભાઈ બકસા તથા જૂનાગઢ તાલુકાનાં પ્લાસવા ગામે રહેતા અતુલ જગદીશભાઈ ઝીંઝુવાડીયા વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, આરીફ તથા અતુલભાઈના પીઠા ઉપર રોયલ્ટી તથા કાંટા પાવતી માંગવામાં આવેલ તે નહીં બતાવવામાં આવતા બંને આરોપીઓએ પોલીસને બીભત્સ શબ્દો કહી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ધકકો મારી પાડી દઈ ઈજા કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૧૮૬, ૩૩ર, ૧૧૪, પ૦૪ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ બી-ડીવીઝન ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!