માણાવદરમાં સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગ પ્રતિકારક શક્તિવર્ધક દવાનું વિતરણ કરાયું

0


માણાવદર પંથકમાં વધતા જતા કોરોના રોગના સંક્રમણને અટકાવવા સરકારશ્રી જાગૃત થઈ હોય તેમ ગઈકાલે નિયામક આયુષ, ગાંધીનગર અને જીલ્લા વિકાસ અધિકારીની સુચના મુજબ જીલ્લા આયુર્વેદિક અધિકારી જૂનાગઢના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું ઘેડ કોયલાણાના મેડીકલ ઓફીસર ડો.સી.કે. કનેરીયા અને સ્ટાફના સભ્યો દિનેશભાઈ સુખાનંદી, રમણીકભાઈ લગધર વગેરે સામુહીક આરોગ્ય કેન્દ્રમાં કોરોના સામે લડત આપી શકે તેવી રોગપ્રતિકારક દવાનું વિતરણ કર્યુ હતું. સંશમની વટી અને આસ્કેનીક આલ્બ-૩૦ નામની આયુષ દવાઓ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી. આમ આયુર્વેદિક દવાખાનાના સ્ટાફે જીંદગી જાેખમમાં મુકીને પણ જનતાની જીંદગી બચાવવા દવા વિતરણ કરવાનું કાર્ય કરેલ જે પ્રશંસનીય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!