ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનાં નવા ૧૫ કેસ આવ્યા

0

ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાંથી ૧પ જેટલા કોરોનાના ગઈકાલે પોઝીટીવ કેસો આવેલ છે. જયારે વેરાવળમાં એક દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યું નીપજેલ છે અને સારવાર હેઠળના ૧૩ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાપર્જ કરાયા છે. જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૧૩૧૯ ઉપર પહોંચેલ છે. ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકાઓમાંથી ૧પ પોઝીટીવ કેસો આવેલ છે. જેમાં વેરાવળના ૩, સુત્રાપાડાના ૩, કોડીનારના ૧, ઉનાના ૩, ગીરગઢડાના ૧, તાલાલાના ૩ તથા અન્ય જીલ્લાના એક મળી કુલ ૧પ પોઝીટીવ દર્દીઓ આવેલ છે. જયારે સારવાર હેઠળના વેરાવળના ૬, સુત્રાપાડાના ૪, કોડીનારના ૧, તાલાલાના ર મળી કુલ ૧૩ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરી દેવાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!